પોપ ફ્રાંસિસ હાલ રોમની એક હોસ્પિટલમાં દાખલ છે. ન્યૂમોનિયાના કારણે તેઓને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી છે. પોપ ફ્રાંસિસ રોમન કેથોલિક ચર્ચના પ્રમુખ છે. પોપ આમ તો જીવનભર આ પદ પર રહે પરંતુ કસમય મોત અથવા તો કોઈ કારણથી આ પદ પરથી રાજીનામું આપી દેતા નવા પોપની ચૂંટણી યોજાતી હોય છે. એવી અટકળો છે કે તેઓ પદ પરથી રાજીનામું આપી શકે છે. જો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપે, તો શું તેમના સ્થાને નવા પોપની પસંદગી થશે? તો ચાલો જાણીએ કે નવા પોપની પસંદગી કેવી રીતે થાય છે?

