ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી હાલ નહીં યોજાય, જે પી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ પદે કાર્યરત રહેશે. ભાજપ મેમાં પોતાના અધ્યક્ષની પસંદગી કરવાની યોજના બનાવી રહ્યું હતું. પરંતુ પહેલગામ આતંકવાદી હુમલાના કારણે આ ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. નવેસરથી ચૂંટણી ક્યારે થશે, તેની જાહેરાત બાદમાં કરવામાં આવશે.

