અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટને ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. આ સાથે હવે ઉત્તર પ્રદેશના 10થી 15 જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટના સત્તાવાર ઈ-મેલ પર ધમકીઓ મળી છે. રામ મંદિર ટ્રસ્ટને મળેલા ઈમેલમાં સુરક્ષા વધારી દેજો. નહીં તો રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. જણાવી દઈએ કે, સોમવારે રાત્રે રામ જન્મભૂમિ ટ્રસ્ટના મેઇલ પર એક ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. તેમાં લખ્યું હતું- મંદિરની સુરક્ષા વધારો. જે બાદ અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. સાયબર સેલ આ મામલાની તપાસ કરી રહ્યું છે.

