ગત રોજ વડોદરાના પાદરામાં ગંભીરા પુલ તૂટ્યો હતો. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત નિપજ્યા હતા. તો બીજી તરફ આ દુર્ઘટના બાદ હવે ડાંગ જિલ્લાના વઘઇ-સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ પર સાકરપાતાળ નજીક અંબિકા નદી પરનો પુલ ચિંતાનો વિષય બન્યો છે. 1959-60માં બનેલો આ પુલ સાડા છ દાયકા જૂનો થયો છે અને તેની જર્જરિત હાલત મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.

