ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાત સરકારના કાયદા અનુસાર જે કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાઈ હોય, તેના બંદૂકના લાઈસન્સ રદ કરવામાં આવશે. આ અંતર્ગત પોલીસ વિભાગે હવે પગલાં લેવાનું શરૂ કર્યું છે અને પ્રથમ પગલું તરીકે ગાંધીધામ પોલીસ દ્વારા એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે વ્યાજખોરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આવા આરોપીઓએ પોતાના કૌભાંડમાંથી કમાવેલી રકમથી ખરીદેલી મિલ્કતો પણ હવે જપ્ત કરવામાં આવી રહી છે. આ પગલાં રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે લીધા ગયા છે.

