VIDEO: રાજ્યમાં ચોમાસાનું સત્તાવાર આગમન થયાને 20 દિવસ કરતાં વધુ સમય થઈ ગયા છે. ત્યારે મચ્છરજન્ય રોગચાળો અને અન્ય રોગોએ માઝા મૂકી છે ત્યારે ચાંદીપુરા વાયરસના કેસો પણ સામે આવી રહ્યા છે. જેને લઈ તબીબો અને વાલીઓને આ અંગે સાવધાન રહેવાની જરૂર છે. વાલીઓએ પોતાના બાળકો માટે થોડીપણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે અને બાળકને ચાંદીપુરા વાયરસનો શિકાર બનાવી શકે છે. છેલ્લા 13 દિવસમાં ગુજરાતમાં આઠ બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયા છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાની દહેશત વચ્ચે તબીબોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

