છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આશરે 2500 આદિવાસી વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2024-25 માટે મળતી અંદાજે રૂ. 41 લાખની શિષ્યવૃતિ સહાયથી વંચિત થવાની ભીતિ સર્જાઈ છે. કારણ છે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ટેક્નિકલ ખામીઓ અને ફરજિયાત દસ્તાવેજોની અસમંજસભરી વ્યવસ્થા સર્જાઈ છે. રાજ્ય સરકારે સપ્ટેમ્બર 2024માં સ્પષ્ટ જાહેરાત કરી હતી કે શિષ્યવૃતિ માટેના આવેદનમાં આધાર કાર્ડ અને રેશનકાર્ડ ફરજિયાત ન રહે. છતાં, હાલની તારીખે ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ પોર્ટલ પર જ્યારે દરખાસ્ત ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે ત્યારે આ બંને દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરવી ફરજિયાત છે.

