ચિન્નાસ્વામીમાં થયેલી ભાગદોડ દરમિયાન માર્યા ગયેલા લોકોની મદદ માટે RCBની ટીમ આગળ આવી છે. RCBની ટીમે અકસ્માતમાં જીવ ગુમાવનારા 11 લોકોના પરિવારને 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે RCB એ પહેલીવાર IPL ટ્રોફી જીતી છે, જેનાથી 17 વર્ષના દુષ્કાળનો અંત આવ્યો છે. ટીમ ચેમ્પિયન બન્યા પછી, લાખો ફેન્સ RCBની જીતના જશ્નમાં જોડાવા માટે ચિન્નાસ્વામી મેદાન પર પહોંચ્યા હતા. જોકે, પરિસ્થિતિ અચાનક વધુ વણસી ગઈ અને ભાગદોડ મચી ગઈ. ભાગદોડને કારણે બધે અરાજકતા મચી ગઈ અને 11 લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે 33 લોકો ઘાયલ પણ થયા.

