પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધને કારણે થયેલી હિંસા અને તણાવની સ્થિતિ રાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ મુદ્દે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુસ્સો વ્યક્ત કર્યો છે. યોગીએ વક્ફ કાયદા બાબતે થયેલી હિંસા માટે રાજ્યના શાસક પક્ષ ટીએમસી, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા છે. સાથે જ તેમના મૌન પર સવાલ ઉઠાવ્યા છે.

