Jamnagar News: વડોદરા નજીક મહીસાગર નદી પર બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાના પડઘા હવે જામનગર સુધી પહોંચ્યા છે. આજે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપ સરકાર પર વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કોંગી કાર્યકરો પાટા-પીંડી બાંધીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે પ્રદર્શનકારીઓ પૈકી 15 કાર્યકરોની અટકાયત કરી હતી, જોકે બાદમાં તમામને મુક્ત કરવામાં આવ્યા હતા.

