બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં ઉર્વશી કહેતી જોવા મળે છે કે ઉત્તરાખંડમાં બદ્રીનાથ મંદિર પાસે તેના નામનું એક મંદિર છે. ઉર્વશીનો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ તેને ટ્રોલ કરી હતી. ઉર્વશી સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ પણ વધવા લાગી. હવે ઉર્વશી રૌતેલાએ આ વિડિયો પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે મીડિયાએ તેની વાતને તોડી-મરોડીને રજૂ કરી છે.

