ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને AIIMSએ કરેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે COVID-19 પછી યુવાનોને અચાનક હાર્ટએટેક આવતા તેનો કોરોના રસી સાથે કોઈ સંબંધ નથી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે યુવાનોમાં હાર્ટ એટેક અને કોરોના રસી વચ્ચે કોઈ સંબંધ નથી. મંત્રાલયનું કહેવું છે કે ICMR દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં કોરોના રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો નથી.

