છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર નક્સલવાદીઓ સામેના મોટા ઓપરેશનમાં એક બહાદુર CRPF કૂતરો શહીદ થયો. વિસ્ફોટકો શોધવા અને હુમલો કરવામાં નિષ્ણાત K9 રોલો નામનો આ કૂતરો 200 મધમાખીઓના હુમલામાં મૃત્યુ પામ્યો. આ ઘટના કારેગુટ્ટા ટેકરીઓમાં બની હતી. રોલો સીઆરપીએફ અને છત્તીસગઢ પોલીસ દ્વારા 21 દિવસના ઓપરેશનનો ભાગ હતો. જેમાં રોલોએ નક્સલીઓના ઠેકાણા અને વિસ્ફોટકો શોધવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મધમાખીઓના હુમલા છતાં, તેના હેન્ડલરએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ રોલોને બચાવી શકાયો નહીં. તેની બહાદુરી માટે તેને મરણોત્તર સન્માનિત કરવામાં આવશે.

