મોદી સરકાર દ્વારા આર્મી ચીફને ટેરિટોરિયલ આર્મી (TA)ની 14 ઇન્ફેન્ટ્રી બટાલિયનનો ઉપયોગ કરવા માટેની પરવાનગી આપી દેવીમાં આવી છે. સરકારે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે, ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ટેરિટોરિયલ આર્મી રૂલ્સ, 1948 ના નિયમ 33 હેઠળ સેનાના નિયમિત દળોને મદદ કરવા કોઈપણ ટેરિટોરિયલ આર્મી અધિકારી અથવા જવાનને બોલાવવા માટે સત્તા આપવામાં આવી છે. રેગ્યુલર આર્મીને જ્યારે જરૂર પડે ત્યારે રક્ષણ માટે તેઓ આ ટેરિટોરિયલ આર્મીને બોલાવી શકે છે. આ ટેરિટોરિયલ આર્મીનું કામ જ્યાં જરૂર હોય ત્યાં પહોંચી સેવા આપવાનું કામ છે.

