સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે કે પી સંઘવી ડાયમંડ કંપનીના માલિક અને વેપારીઓ વચ્ચે રૂપિયાની લેવડદેવડને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આજે વેપારીઓ અને તેમની પત્નીઓ કંપની સામે ધરણા પર બેઠા છે. વેપારીઓના પરિવારજનોએ કહ્યું કે, અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલા ચેક રીટર્નના કેસો પરત ખેંચવાની માગ સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા હતા.

