Home / Entertainment : After acting, Aamir Khan will now try his hand in this field

Aamir Khan એક્ટિંગ બાદ હવે આ ક્ષેત્રે અજમાવશે હાથ

Aamir Khan એક્ટિંગ બાદ હવે આ ક્ષેત્રે અજમાવશે હાથ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આમિર ખાને જણાવ્યું કે તેમની આગામી ફિલ્મમાં એવીસરળ કોમેડી હશે, જેવી બાસુ ચેટર્જી કે ઋષિકેશ મુખર્જીની ફિલ્મોમાં જોવા મળતી હતી.

આમિર ખાને તેમની કારકિર્દીમાં અનેક યાદગાર ફિલ્મો આપી છે. તેમની કેટલીક ફિલ્મોને કલ્ટનો દરજ્જો મળ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આમિરનું નસીબ ખાસ સારું નથી ચાલી રહ્યું. તેમની છેલ્લી બે રિલીઝ થયેલી ફિલ્મો બોક્સ ઓફિસ પર બિલકુલ નથી ચાલી. ખાસ કરીને 'લાલ સિંહ ચઢ્ઢા'. આ ફિલ્મથી આમિરને ઘણી આશાઓ હતી, પરંતુ ફિલ્મ ખરાબ રીતે નિષ્ફળ ગઈ. પછી આ વર્ષે 'સિતારે ઝમીન પર' આવી. ફિલ્મને પસંદ તો કરવામાં આવી, પરંતુ તે કમાણી ન કરી શકી. હવે આમિર અભિનયની સાથે-સાથે ગાયનમાં પણ પોતાનો હાથ અજમાવવા જઈ રહ્યા છે.

આમિરે સૌપ્રથમ 1998માં આવેલી ફિલ્મ 'ગુલામ'માં ગીત ગાયું હતું. 'આતી ક્યા ખંડાલા...' ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું. તાજેતરમાં આમિરે જણાવ્યું કે હવે તેઓ પ્રોફેશનલ રીતે ગાયનની તાલીમ લઈ રહ્યા છે, જેથી તેઓ તેમની આગામી ફિલ્મમાં ગીતો ગાઈ શકે. એક ઈન્ટરવ્યુમાં આમિરે કહ્યું,

"જ્યારે મેં 'આતી ક્યા ખંડાલા' ગાયું હતું, ત્યારે મેં તે મજાકમાં ગાયું હતું. પરંતુ હું નસીબદાર હતો કે તે હિટ થયું. હવે છેલ્લા કેટલાક વર્ષોથી હું ગાયક બનવા માટે નિયમિત તાલીમ લઈ રહ્યો છું. આ હું મારી એક અનટાઈટલ્ડ કોમેડી ફિલ્મ માટે કરી રહ્યો છું. હું તમને જણાવું કે આ કેવી ફિલ્મ હશે. ખરેખર, આ બાસુ ચેટર્જી કે ઋષિકેશ મુખર્જીની ફિલ્મોના શૈલી જેવી હશે, જેને આજકાલ આપણે ભૂલી ગયા છીએ."

આમિર આ નાના બજેટની કોમેડી ફિલ્મમાં નાનકડો કેમિયો કરશે. જોકે, આ ખાસ ભૂમિકા હશે. આમિરે આગળ જણાવ્યું,

"હું કેમિયો કરી રહ્યો છું. હું આ ફિલ્મમાં બે ગીતો પણ ગાઈ રહ્યો છું. હું સુચેતા ભટ્ટાચાર્ય પાસેથી તાલીમ લઈ રહ્યો છું. તેમની પાસેથી જ ગાયન શીખી રહ્યો છું."

આમિરે એમ પણ કહ્યું કે તેઓ લતા મંગેશકરના ખૂબ મોટા ચાહક છે. તેમનો દિવસ લતા મંગેશકરના ગીતથી જ શરૂ થાય છે. આમિરે એમ પણ જણાવ્યું કે આ ગીતોને રામ સંપત કંપોઝ કરી રહ્યા છે. તેઓ આ બે ગીતો માટે ખૂબ ઉત્સાહિત છે. તેઓ ઈચ્છે છે કે લોકો તેમના આ બે ગીતોને પણ પસંદ કરે.

Related News

Icon