Home / Entertainment : AR Rahman discharged from hospital

એઆર રહેમાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, સિંગરના પુત્રએ આપ્યું હેલ્થ અપડેટ

એઆર રહેમાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, સિંગરના પુત્રએ આપ્યું હેલ્થ અપડેટ

આજે સવારે પ્રખ્યાત બોલિવૂડ ગાયક એઆર રહેમાન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રવિવારે સવારે એઆર રહેમાનની તબિયત અચાનક બગડી ગઈ. તેને છાતીમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. જે બાદ ગાયકને તાત્કાલિક ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને હવે એવા સમાચાર છે કે તેમને રજા પણ આપવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એઆર રહેમાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

રવિવારે સવારે એઆર રહેમાનને છાતીમાં દુખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે સમાચાર એ છે કે ડોક્ટરોએ ચેકઅપ બાદ રજા આપી દીધી છે. સિંગરના પુત્રએ જણાવ્યું, "તેઓ હમણાં જ ઘરે પાછા ફર્યા છે. તેઓ બિલકુલ ઠીક છે. આજે સવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ ત્યાં તેમના કેટલાક ટેસ્ટ કર્યા. પરંતુ હવે બધું બરાબર છે અને તેમની તબિયત પણ સારી છે."

એઆર રહેમાનના મેનેજરે માહિતી આપી હતી

અગાઉ, એઆર રહેમાનના મેનેજરે તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "તેમને ગરદનમાં દુખાવો થતો હતો, ત્યારબાદ તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમના કેટલાક જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમને થોડા કલાકોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. રહેમાન હવે બિલકુલ ઠીક છે."

આ ફિલ્મથી એઆર રહેમાનને ઓળખ મળી

એપોલો હોસ્પિટલના મેડિકલ બુલેટિનમાંથી મળેલી માહિતી અનુસાર, એઆર રહેમાનને ડિહાઇડ્રેશનના લક્ષણો હતા. રૂટિન ચેકઅપ બાદ તેમને રજા આપવામાં આવી. તમને જણાવી દઈએ કે ઘણા સંઘર્ષ પછી, એઆર રહેમાનને મણિરત્નમની ફિલ્મ 'રોજા' માટે મ્યુઝિક કંપોઝ કરવાની તક મળી હતી. આ પછી, તેમણે રામ ગોપાલ વર્માની ફિલ્મ 'રંગીલા' માટે સંગીત આપ્યું અને બોલિવૂડમાં પ્રખ્યાત થયા. આજે તેમને સંગીતના રાજા કહેવામાં આવે છે.

Related News

Icon