Home / Entertainment : Salman Khan speaks out on Bollywood's silence on Sikander

'સિંકદર' પર બોલિવૂડના મૌન અંગે બોલ્યો સલમાન ખાન, કહ્યું- 'તે લોકોને એવું લાગતું હશે...'

'સિંકદર' પર બોલિવૂડના મૌન અંગે બોલ્યો સલમાન ખાન, કહ્યું- 'તે લોકોને એવું લાગતું હશે...'

સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર' સતત ચર્ચામાં છે. આ ફિલ્મમાં ભાઈજાનને એક વખત ફરી રાઉડી અવતારમાં જોવા મળ્યો છે. ફેન્સ અને દર્શક આ વિશે સતત વાત કરી રહ્યા છે. આ દરમિયાન સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેને પૂછવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ બીજાની કોઈ ફિલ્મ આવે છે તો તમે તેનો પ્રચાર કરો છો. ફિલ્મને સપોર્ટ કરો છો. આવું તમારી ફિલ્મો માટે કેમ નથી થતું?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સલમાને આ વિશે જવાબ આપ્યો કે, "તે લોકોને એવું લાગતું હશે કે મને જરૂર નથી પડતી પરંતુ સૌને જરૂર પડે છે." આ વાત કહેતા વીડિયોમાં સલમાન ખાનનો ચહેરો ઉતરેલો નજર આવી રહ્યો છે. ફેન્સ પણ સુપરસ્ટાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી, "ભારતીય સિનેમાના સૌથી ખોટા સમજવામાં આવેલા માણસ." બીજા યુઝરે લખ્યું, 'યાર આ માણસ દિલનો સાફ છે. સૌ માટે વિચારે છે પરંતુ કોઈ આના માટે વિચારતું નથી." એક અન્ય યુઝરે લખ્યું, "તમારે કોઈની જરૂર નથી. તમારા માટે અમે ફેન્સ પૂરતા છીએ."

ફિલ્મ 'સિકંદર' ને સલમાન ખાનની અત્યાર સુધીની સૌથી નબળી ફિલ્મ ગણાવાઈ રહી છે. હંમેશા તેનો સાથ આપનાર ફેન્સને પણ તેની આ ફિલ્મ પસંદ નથી આવી. સિનેમા લવર્સ અને સલમાન ખાના ફેન્સનું કહેવું છે કે સલમાને સારા પ્રોડક્શન હાઉસ અને ડાયરેક્ટરની જરૂર છે, જે તેના જાદુને પાછો લાવી શકે.

Related News

Icon