અભિનેત્રી અને સાંસદ કંગના રણૌત તેની ફિલ્મ 'ઈમરજન્સી'ની રિલીઝની રાહ જોઈ રહી છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે થિયેટરમાં આવવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી. કંગના રણૌતે હાલમાં જ કેટલાક ઈન્ટરવ્યુ આપ્યા છે, જેમાં તેણે ફિલ્મ ‘ઈમરજન્સી’ વિશે ઘણી વાતો કરી છે. આમાંથી એકમાં તેણે પોતાનો બંગલો વેચવાની વાત કરી હતી અને તેણે આવું કેમ કર્યું તે પણ જણાવ્યું હતું.

