
'હેરા ફેરી 3' (Hera Pheri 3) ને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ, પરેશ રાવલની ફ્રેન્ચાઈઝી છોડવાની અચાનક જાહેરાતથી ફેન્સ ચોંકી ગયા. હવે સુનિલ શેટ્ટીએ પરેશ રાવલના આ નિર્ણય પર પોતાનું મૌન તોડ્યું છે. અભિનેતા સુનિલ શેટ્ટીએ 'હેરા ફેરી 3' માંથી પરેશ રાવલના બહાર નીકળવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને ભારપૂર્વક કહ્યું કે રાવલના આઈકોનિક પાત્ર બાબુરાવ ગણપતરાવ આપ્ટે વિના આ ફિલ્મ બની જ ન શકે.
પરેશ રાવલ વગર 'હેરા ફેરી 3' ન બની શકે
સુનિલ શેટ્ટીએ કહ્યું, "એવું ન થઈ શકે. પરેશ રાવલ વિના... 100 ટકા એ ન થઈ શકે. મારા અને અક્ષય વિના, હેરા ફેરી 3ની 1 ટકા શક્યતા હોઈ શકે છે, પરંતુ પરેશ જી વિના, 100 ટકા એ શક્ય નથી. ના, એવું નથી. રાજુ અને શ્યામ, જો તેઓ બાબુ ભૈયાથી માર ન ખાય, તો તે કામ નહીં કરે."
આથિયા-અહાન તરફથી સમાચાર મળ્યા
સુનીલ શેટ્ટીએ ખુલાસો કર્યો કે તેને આ વાત તેના બાળકો આથિયા અને અહાન શેટ્ટી દ્વારા કેવી રીતે ખબર પડી. ઇન્ટરવ્યુમાં, તેણે કહ્યું, "બંનેએ 15 મિનિટમાં મને તે મોકલ્યું અને પૂછ્યું, પપ્પા, આ શું છે? અને અહીં હું મારો ઇન્ટરવ્યુ આપી રહ્યો હતો. હું તે જોતાં જ વિચારવા લાગ્યો." સુનીલ શેટ્ટીએ આશા વ્યક્ત કરી છે કે પરેશ રાવલ ભવિષ્યમાં ચોક્કસપણે આ ફિલ્મમાં પાછા ફરશે, કારણ કે દર્શકોની જેમ, તે પણ રાજુ, શ્યામ અને બાબુરાવની ત્રિપુટીના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા.
અક્ષય કુમાર કાનૂની કાર્યવાહી કરી શકે છે
જ્યારે પરેશ રાવલે ખુલાસો કર્યો કે તેમણે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને દિગ્દર્શક પ્રિયદર્શનને ફિલ્મ છોડવાના નિર્ણય વિશે જાણ કરી હતી, ત્યારે પ્રિયદર્શને પરેશ રાવલ તરફથી આવી કોઈ માહિતી મળવાનો ઈનકાર કર્યો હતો. પ્રિયદર્શને કહ્યું, "મને ખબર નથી કે આવું કેમ થયું કારણ કે પરેશે અમને જાણ નથી કરી. ફિલ્મ શરૂ કરતા પહેલા, અક્ષયે મને પરેશ અને સુનીલ બંને સાથે વાત કરવાનું કહ્યું અને મેં તેમ કર્યું અને બંને સંમત થયા" તેમણે એમ પણ કહ્યું કે ફિલ્મમાં તેના નાણાકીય રોકાણને કારણે અક્ષય કાનૂની કાર્યવાહી કરી શકે છે. પ્રિયદર્શન કહે છે, "મારી પાસે ગુમાવવા માટે કંઈ નથી, પણ અક્ષયે પૈસા રોક્યા છે અને તે જ કારણ હોઈ શકે છે કે તે આ પગલું ભરી રહ્યો છે."
પરેશ રાવલે 'હેરા ફેરી 3' કેમ છોડી દીધી?
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં પરેશ રાવલે જણાવ્યું હતું કે તેમણે ફિલ્મ છોડી દીધી છે. તેમણે ફેન્સને આ વિશે માહિતી આપવા માટે ટ્વિટ કર્યું, જેમાં તેમણે લખ્યું, "હું એ વાત રેકોર્ડ પર રાખવા માંગુ છું કે હેરા ફેરી 3 છોડવાનો મારો નિર્ણય ક્રિએટિવ ડિફરન્સને કારણે નહતો. હું ફરીથી ભારપૂર્વક કહું છું કે ફિલ્મ નિર્માતા સાથે કોઈ ક્રિએટિવ ડિફરન્સ નથી. મને ફિલ્મ દિગ્દર્શક પ્રિયદર્શન પ્રત્યે અપાર પ્રેમ, આદર અને વિશ્વાસ છે."