મહારાષ્ટ્રના પુણેમાં માવલ તહસીલ હેઠળના કુંડમાલા ગામ નજીક રવિવારે (૧૫ જૂન, ૨૦૨૫) ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. પુલ તૂટી પડવાના કારણે મૃત્યુઆંક વધીને 3 થયો છે, જ્યારે અત્યાર સુધીમાં 38 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

