રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ. જયશંકરને 'ઓપરેશન સિંદૂર' વિશે એક સવાલ કર્યો તેનો જવાબ ન મળતાં તેમણે સોમવારે ફરીથી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. રાહુલ ગાંધીએ પોસ્ટમાં લખ્યું કે, 'વિદેશ મંત્રી જયશંકરનું મૌન માત્ર નિવેદનબાજી નથી, આ નિંદનીય છે.' તો હું ફરીથી પૂછવા માંગું છું કે, પાકિસ્તાનને ખબર હતી? આ કોઈ ભૂલ નહોતી. આ એક ગુનો છે. દેશને સત્ય જાણવાનો અધિકાર છે.

