Home / Entertainment : Sunita Ahuja blamed these people for Govinda's downfall

4 લોકોના કારણે ખરાબ થયું Govindaનું કરિયર, પત્ની સુનીતાનો ચોંકાવનારો ખુલાસો

4 લોકોના કારણે ખરાબ થયું Govindaનું કરિયર, પત્ની સુનીતાનો ચોંકાવનારો ખુલાસો

ગોવિંદા (Govinda) 90ના દાયકાના સુપરસ્ટાર એક્ટર્સમાંથી એક છે. તેણે પોતાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એક્ટર સ્ક્રીન પર કઈ ખાસ નથી કરી શક્યો. વર્ષ 2019માં 'રંગીલા રાજા' બાદથી તેની કોઈ ફિલ્મ પણ રિલીઝ નથી થઈ. હવે ગોવિંદાની પત્ની સુનીતા આહૂજાએ પતિના ફીકા પડેલા સ્ટારડમ પર વાત કરી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'મને ચાપલૂસી કરવી પસંદ નથી'

એક ઇન્ટરવ્યુમાં સુનીતાએ કહ્યું કે, "ગોવિંદા ખોટા લોકોથી ઘેરાયેલા છે." સુનીતાને પૂછવામાં આવ્યું કે, ગોવિંદા 17 વર્ષથી કેમ નથી દેખાતા? તેના પર સુનીતાએ કહ્યું કે, "તેમનું સર્કલ જ ખોટું છે. આ જ સૌથી મોટી સમસ્યા છે. આજે મારી તેમની સાથે આ જ વાત પર લડાઈ થાય છે, કારણ કે, હું ખોટું નથી બોલી શકતી અને મને ચાપલૂસી કરવી પસંદ નથી."

4 લોકોના કારણે ગોવિંદાની કારકિર્દી ખરાબ થઈ

સુનીતાએ નામ લીધા વિના ગોવિંદાની ટીમના લોકો પર આરોપ લગાવ્યા. સુનીતાનું કહેવું છે કે, "તેમની પાસે 4 લોકો છે, જેમાં રાઈટર, મ્યૂઝિશિયન, સેક્રેટરી અને વકીલ સામેલ છે. આ લોકો ગોવિંદાને વિકસિત કરવામાં મદદ કરવાના બદલે તેને જૂની યાદોમાં ફસાવી રાખવામાં વધુ રસ ધરાવે છે. આ લોકો કોઈ કામના નથી. તેઓ માત્ર 'વાહ, વાહ!' કહે છે. જો ગોવિંદા સંગીત બનાવે છે, તો તેઓ કહે છે 'વાહ, વાહ... કમાલ કર દિયા.' આ લોકોએ ગોવિંદાને સાચું કહેવું જોઈએ. જ્યારે હું તેમને સાચું કહું છું, ત્યારે તેઓ નારાજ થઈ જાય છે. ગોવિંદા હજુ પણ એ જ જૂના ફોર્મ્યુલાને ફોલો કરે છે, જેના કારણે તેઓ 90ના દાયકામાં સ્ટાર બન્યા હતા. તેમને એ વાતનો અહેસાસ નથી કે હવે ઈન્ડસ્ટ્રી અને ઓડિયન્સ ખૂબ આગળ વધી ચૂક્યા છે."

સુનીતાએ આગળ કહ્યું કે, "હું ગોવિંદાને કહું છું કે 90નો દાયકો ખતમ થઈ ગયો છે. આ 2025 છે. જુઓ હવે નેટફ્લિક્સ અને ડિજિટલ પ્લેટફોર્મ પર શું ચાલી રહ્યું છે. પરંતુ તેઓ તેના 'વાહ-વાહ' પ્રોડક્શન સાથે જ રહે છે. મેં ગોવિંદાને ઘણીવાર કહ્યું છે કે પોતાનું સર્કલ બદલો. જ્યાં સુધી તમારી પાસે આ 4-5 લોકો છે, ત્યાં સુધી તેઓ તમને આગળ નહીં વધવા દે."

Related News

Icon