
Ahmedabad news: અમદાવાદ જિલ્લાના ધોળકા નગરપાલિકાના આજે અખાત્રીજના પર્વે ભાજપના 12 કાઉન્સેલરો રાજીનામાં ધરી દીધા છે. જેથી ભાજપમાં ભડકા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બાર જેટલા ભાજપના કાઉન્સિલરોએ નગરપાલિકામાં આવેલ રજિસ્ટર વિભાગમાં રાજીનામાં ધરી દીધા હતા.
મળતી માહિતી અનુસાર, આ બાબતે ધોળકા નગરપાલિકાના જવાબદાર અધિકારી ચીફ ઓફિસરને પૂછતા તેમને જણાવ્યું હતું કે, આ બાબતે મારી પાસે રાજીનામાના ડોકયુમેન્ટ કે કાઉન્સિલરો રાજીનામાં આપવા આવ્યા નથી. ધોળકામાં બાર જેટલા કાઉન્સિલરોએ ભાજપમાંથી રાજીનામાં આપતા આ મુદ્દો ટોક ધ ટાઉન બન્યો