Home / Gujarat / Ahmedabad : The accused in the vandalism and robbery case of folk writer Devayat Khavad's car was granted bail by the court

લોક સાહિત્યકાર દેવાયત ખવડની કારમાં તોડફોડ અને લૂંટ કેસમાં આરોપીને કોર્ટથી જામીન મળ્યા

લોક સાહિત્યકાર દેવાયત ખવડની કારમાં તોડફોડ અને લૂંટ કેસમાં આરોપીને કોર્ટથી જામીન મળ્યા

જાણીતા લોક-સાહિત્યકાર દેવાયત ખવડની કારમાં તોડફોડ તેમજ લૂંટ કરવાના કેસમાં આરોપી ભગવતસિંહ ચૌહાણને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટથી રાહત મળી છે. કોર્ટે  ભગવતસિંહની આગોતરા જામીન અરજી શરતોને આધારે સ્વીકારીને જામીન આપ્યા છે.  

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આરોપી ભગવતસિંહ ચૌહાણની પોલીસ ધરપકડ કરવાની જરૂર પડે તો ધરપકડ બાદ રૂપિયા 50 હજારના બોન્ડ પર જામીન આપવા ચાંગોદર પીઆઈને કોર્ટે નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે પુરાવાઓ સાથે ચેડાં ન કરવા સહિતના શરતોને આધારે આગોતરા જામીન અરજી મંજૂર કરાઈ છે.
 

ઘટના શું હતી?

દેવાયત ખવડે પોતાની સ્કોર્પિયો કારમાં તોડફોડ અને 5 લાખ રૂપિયાની રોકડની લૂંટની ફરિયાદ કરી હતી. જ્યારે બીજી બાજું ભગવંતસિંહ ચૌહાણ દ્વારા ડાયરાના આયોજન માટે 8 લાખ રૂપિયા લઈ હાજર ન રહેવા અને ફોન પર ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ હતી.

Related News

Icon