ગુજરાતના એક માત્ર ગિરિ મથક એવા સાપુતારામાં વાદળ છાયા વાતાવરણથી જાણે કે વાદળો સાથે વાત કરતા હોય તેવાં દ્રશ્યો જોવા મળે છે.ડાંગના વિવિધ તાલુકાઓ જેમ કે સુબીર તાલુકાના શીંગાણા ગામ નજીક ગીરા નદી પર આવેલ ગીરમાળ ધોધ પ્રવાસીઓની પહેલી પસંદ છે. ગીરા નદી પર આશરે 100 મીટરની ઊંચાઈથી પડી રહેલા પાણીનું આહલાદક દ્રશ્યો સૌ કોઈનું મન મોહી લે છે.
ભંભાઈ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
ગિરમાળનો ધોધ અંતરિયાળ વિસ્તારમાં હોવા છતાંય પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ અહી અચૂકપણે મુલાકાત લઈ યાદગાર સંભારણુ બનાવે છે. જ્યારે આહવાના-સાપુતારા રોડ પર આવેલો શિવઘાટ ધોધ પ્રકૃતિના અનુપમ સૌંદર્યને ચાર ચાંદ લગાવે છે.તો ડાંગના પૂર્વ વિસ્તાર એવા ગારખડી ગામ પાસેનો ભાંભઈ ધોધ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.