દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NAP) હેઠળ તૈયાર કરાયેલા નવા પુસ્તકોના અભ્યાસની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે શિક્ષણ મંત્રાલયે દેશની અનેક સરકારી શાળાઓમાં શિક્ષકોના ખાલી પદો તેમજ આ પદો ભરવાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મંત્રાલયે તમામ રાજ્યોને શિક્ષકોના ખાલી પદો ભરવા માટે કહ્યું છે.

