Vadodara News: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના થયા બાદ તંત્ર હવે જાગ્યું છે. એવામાં જુનાગઢમાં જર્જરિત હાલતમાં આવેલો બ્રિજ પરિવહન માટે બંધ કરવામાં આવ્યો છે. જુનાગઢ માંગરોળ તાલુકાના સામરડાથી માધવપુર ઘેડ તરફનાં રસ્તા ઉપર આવતી સાબલી નદી પરનો પુલ વાહન વ્યવહાર માટે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં તંત્ર હવે જાગ્યું છે.

