Home / Gujarat / Patan : Three of a family die in accident between rickshaw and truck

Patanમાં હાઈવે પર રિક્ષા-આઈસર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોત

Patanમાં હાઈવે પર રિક્ષા-આઈસર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોત

Patan News: ગુજરાતભરમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ હોય તેમ સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં પાટણમાંથી ગંભીર અકસ્માતના સામાચાર આવી રહ્યા છે. રાધનપુર-મહેસાણા હાઈવે પર રિક્ષા અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતહેદને પોસ્ટમોટર્મ અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આઈસર ચાલક ઘટનાસ્થળેથી ફરાર

મળતી માહિતી અનુસાર, રાધનપુર-મહેસાણા હાઈવે પર રાધનપુરથી વરણા જઈ રહેલી રિક્ષાની ટક્કર આઈસર ટેમ્પો સાથે થઈ હતી. આ અકસ્માતમાં માતા-પુત્ર સહિત એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં 30 વર્ષીય વિરામભાઈ, 12 વર્ષીય આશિષ અને 55 વર્ષીય ગાલાબેનનો સમાવેશ થાય છે.

અકસ્માત બાદ આઈસર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થયો હતો. જોકે, આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related News

Icon