
રાજ્યમાં વધતા જતાં અકસ્માતો વચ્ચે ગત રોજ ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર હિંગટીયા નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. બસ-જીપ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાળકી સહિત કુલ 7 લોકોના મોત નીપજ્યા છે.
દુર્ઘટનામાં 4 લોકોનું ઘટના સ્થળે, જ્યારે 3નું સારવાર દરમિયાન મોત
આ દુર્ઘટનામાં 4 લોકોનું ઘટના સ્થળે, જ્યારે 3નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે. આ ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.મોતની સવારી કરાવનાર ખાનગી જીપમાં સવાર પેસેન્જરો પૈકી સાતના મોત છ સારવાર હેઠળ છે.
6 લોકો હજુ સારવાર હેઠળ
બસ-જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાળકી સહિત 7 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. મૃતકોની ઓળખ પોપટભાઈ તરાલ , સાયબાભાઈ બેગડીયા, અજયભાઈ ગમાર, અને મંજુલાબેન બેગડીયા (બાળકી) તરીકે કરવામાં આવી છે. આ ગંભીર અકસ્માતમાં જીપ અને બાઈકનો ખુડદો બોલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે ગંભીર અકસ્માત મામલે આદિવાસી સમાજમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે.