Home / Gujarat / Surat : 4 flights rescheduled from International Airport

Surat News: ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 4 ફ્લાઈટ રિશિડ્યુલ, AIR INDIA 1 જુલાઈથી ચેન્નાઈ, હૈદરાબાદ અને ગોવાની ફ્લાઇટ બંધ

Surat News: ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 4 ફ્લાઈટ રિશિડ્યુલ, AIR INDIA 1 જુલાઈથી ચેન્નાઈ, હૈદરાબાદ અને ગોવાની ફ્લાઇટ બંધ

સુરત એરપોર્ટથી મુસાફરી કરતા મુસાફરોને 1 જુલાઈથી મોટી અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ (AIX) એ સુરતથી ચાલતી ઘણી મોટી ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં ચેન્નાઈ, હૈદરાબાદ અને ગોવાની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે, જે 1 જુલાઈથી બંધ કરવામાં આવશે. જોકે, આ ફ્લાઇટ્સ અચાનક રદ કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે? આ અંગે એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી અને 1 જુલાઈથી આ ફ્લાઇટ્સનું બુકિંગ બંધ કરવામાં આવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફ્લાઈટ રદ કરવાનો નિર્ણય

એર ઇન્ડિયા એક્સપ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ રોટેશનને કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસે આ ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. એઆઇ એક્સપ્રેસના આ નિર્ણય બાદ હવે સુરતથી ફક્ત 11 સ્થાનિક આગમન અને પ્રસ્થાન ફ્લાઇટ્સ બાકી રહેશે. હાલમાં અહીંથી રોજ 15 ફ્લાઇટ્સ સંચાલિત થઈ રહી છે. આ નિર્ણય મુસાફરોની સુવિધા અને એરલાઇન કામગીરીની વ્યૂહાત્મક જરૂરિયાતો અનુસાર લેવાયો છે, પરંતુ મુસાફરોએ જુલાઈ પહેલાં તેમના સમયપત્રકની તપાસ કરવી પડશે.

આ ફ્લાઇટ્સ 1 જુલાઈથી રદ

સુરત-ચેન્નઈ: રાત્રે 9:15 વાગ્યે
સુરત-હૈદરાબાદ: રાત્રે 10:30 વાગ્યે
સુરત-ગોવા: સવારે 7:50 વાગ્યે
કારણ: એરક્રાફ્ટ રોટેશન મુખ્ય કારણ છે. જેનો અર્થ એ છે કે એક જ એરક્રાફ્ટને અલગ-અલગ રૂટ પર ચલાવવું, જેથી ઓપરેશનલ કાર્યક્ષમતા જાળવી શકાય. જ્યારે કોઈ સેક્ટરની માંગ ઓછી હોય કે ટેકનિકલ/એરપોર્ટ સંબંધિત સમસ્યા હોય ત્યારે એરલાઇન્સ રૂટ બદલે છે. જેથી ફ્લાઇટ્સ અસ્થાયીરૂપે બંધ કરવામાં આવી રહી છે. જો કે, એરલાઇને સ્પષ્ટતા કરી નથી.

આ ફ્લાઇટ કરાશે રિશિડ્યુલ

સુરત-બેંગલુરુ: 1લીથી દરરોજ કાર્યરત થશે.
સુરત-દિલ્હી: રાત્રે 11:25 વાગ્યે, ફક્ત મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત થશે.
સુરત-દિલ્હી: સવારે 6:10 વાગ્યે અને બપોરે 2:10 વાગ્યે, 2 જુલાઈથી બુધવાર, શુક્રવાર, રવિવાર અને સોમવારે કાર્યરત થશે.
સુરત-દિલ્હી: બપોરે 1 વાગ્યે, 1 જુલાઈથી મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત થશે.
કારણ: દિલ્હી એરપોર્ટ પર રનવે બંધ છે, જેના કારણે ઘણી ફ્લાઇટ્સના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

 

Related News

Icon