સુરતના પાલનપુર વિસ્તાર સ્કૂલની બેદરકારી સામે આવી છે. શિક્ષણ સમિતિની પાલનપુરની શાળામાં 50 બાળકોને એલ.સી. આપી દેવાયા છે. સરકારી શાળા નં. ૩૧૮ના આચાર્ય સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. બાળકોની સંખ્યા વધે તો બીજી પાળી શરૂ કરવી પડે એટલે બાળકોનું અહિત કર્યાનો આક્ષેપ છે. સમિતિની શાળાના નીતિ-નિયમોનું ઉલાળિયું કરી બાળકોને એક યા બીજા કારણોસર હંમેશા માટે ઘરભેગા કરવામાં આવ્યા છે. ૩૧૮ નંબર ની શાળા ના આચાર્ય ને બરતરફ કરવા આદેશ કરાયો છે. CRCના ૩ સભ્યોને નોટિસ આપવામાં આવી છે.

