સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તે રીતે હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં નજીવી બાબતે યુવકનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. તિક્ષ્ણ હથિયારના ઘા સહિતની વસ્તુઓના મારથી યુવકનું મોત નીપજ્યું હતું. જેથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવવી પડી હતી.

