લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં સુરતની બેઠક બિનહરિફ જાહેર થઈ હતી. આ બેઠક બિનહરિફ જાહેર થતાં મુકેશ દલાલ વિના ચૂંટણીએ સાંસદ બની ગયા હતાં. ત્યારે કોંગ્રેસના મેન્ડેટ સાથેનું ફોર્મ રદ્દ થતાં નિલેશ કુંભાણી સામે જે તે વખતે જોવા મળતો વિરોધ હજુ પણ યથાવત હોવાનું સામે આવ્યું છે. દિવાળીની શુભકામના આપતાં નિલેશ કુંભાણીના પોસ્ટર પર કાળા અક્ષરથી ગદ્દાર લખવામાં આવ્યું હતું.

