લોકસાહિત્યકાર રાજ ભા ગઢવીએ ડાંગના આદિવાસીઓ માટે કરેલા નિવેદનને લઈને ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યાં છે. રાજભા ગઢવીના નિવેદનનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ડાંગના રાજાએ વિરોધ કર્યો છે. ત્યારે હવે આ વિરોધમાં બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ પણ નિવેદન આપતાં કહ્યું કે, રાજભા સાથે કોઈ અણબનાવ બન્યો હોય તો ખુલાસો કરે. આદિવાસી સમાજમાં તેમની ટીપ્પણીથી ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.

