ઉનાળામાં હોંશે હોંશે ખવાતા આમ્રફળને સુરતના વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સન્મુખ આમ્રફૂટ રૂપે નિવેદિત કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં ભગવાન સન્મુખ ‘ મેવા જમો મહારાજ ‘ એ ફળો અર્પણ કરતું કીર્તનના પદોનું ગાન સૌ સંતો તથા હરિભક્તોએ કરેલ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીએ આમ્રફૂટ પ્રસંગે ભગવાન સન્મુખ અર્પણ થયેલ આમ્રફળો સાથે ભગવાનની આરતી ઉતારી હતી. તેઓએ કહેલું કે આંબાનું વૃક્ષ આઠ દશ વરસ ટાઢ તડકો વરસાદ સહન કરીને આપણને મીઠુ મધુરું ફળ આપે છે. જેને સૌ હોંશે હોંશે આરોગે છે.

