જ્યારથી પરેશ રાવલ 'હેરા ફેરી 3' (Hera Pheri 3) છોડી રહ્યા છે તેના સમાચાર આવ્યા છે, ત્યારથી ફેન્સે સોશિયલ મીડિયા પર નવા બાબુ ભૈયા માટે પોતાના સૂચનો આપવાનું શરૂ કરી દીધું છે. આ ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શન છે અને આ એક કોમેડી ફિલ્મ છે, જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફેન્સ વર્ષો બાદ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટીને જોવા માટે ઉત્સુક હતા. પરંતુ પરેશ રાવલે આ ફિલ્મ છોડી દેતા હવે આ ત્રિપુટી તૂટી ગઈ છે. આ દરમિયાન પંકજ ત્રિપાઠીનું નામ સામે આવ્યું છે. પણ શું તે ખરેખર પરેશ રાવલનું સ્થાન લેશે? ચાલો તમને જણાવીએ કે તેણે આ વિશે શું કહ્યું.

