વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત બાદ આપ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ સાબર ડેરી અને ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કરી હતા અને ગંભીરા બ્રિજ દુર્ઘટનાને વખોડી કાઢી હતી.

