ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની બીજી ટેસ્ટ મેચ એજબેસ્ટન ખાતે રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ, ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા આવી છે. ટીમ ઈન્ડિયા એ તેની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ મોટા ફેરફારો કર્યા છે. વર્કલોડને ધ્યાનમાં રાખીને, આ ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. બુમરાહની જગ્યાએ આકાશદીપને તક મળી છે. જોકે, ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી આ નિર્ણયથી ખૂબ જ નારાજ છે. શાસ્ત્રી કહે છે કે સિરીઝની દૃષ્ટિએ આ મેચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી અને બુમરાહને આ મેચમાં રમવું જોઈતું હતું.

