જ્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ વધ્યો છે, ત્યારથી તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. મંગળવારે ભારતીય બજારમાં મોટા ઘટાડાનું એકમાત્ર કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ હતો. રોકાણકારો ચિંતામાં હતા કે ભારત શું પગલાં લેશે અને શું બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે?

