પાકિસ્તાનના નિષ્ફળ હુમલાના પ્રયાસો વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય કર્યો છે. ભારત સરકાર તરફથી પાકિસ્તાનને સ્પષ્ટ મેસેજ આપતા કહેવામાં આવ્યું કે જો ભારતમાં કોઇ પણ આતંકી હુમલો થાય છે તો તેને યુદ્ધ માનવામાં આવશે. સરકારના સૂત્રોએ જણાવ્યું કે ભવિષ્યમાં કોઇ પણ આતંકવાદી કાર્યવાહીને ભારત વિરૂદ્ધ યુદ્ધ કાર્યવાહી માનવામાં આવશે. આ સાથે જ આવી કોઇ પણ કાર્યવાહીનો તેના હિસાબથી જ જવાબ આપવામાં આવશે.

