Pahalgam Terror Attack: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ સ્થિતિમાં પણ પાકિસ્તાને સતત ચોથા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી પૂંછ અને કુપવાડામાં ગોળીબાર કરવામાં આવ્યો છે. ભારતીય સેનાએ પણ જવાબ આપતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનની સેનાએ રવિવાર અને સોમવાર મોડી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

