ભારત-પાકિસ્તાનની તણાવભરી સ્થિતિને પગલે રાજ્યના દરેક વહીવટી તંત્ર અલર્ટ મોડ ઉપર જોવા મળ્યા છે. જેને લઇને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યાં લોકોની અવરજવર વધુ રહેતી હોય તેવા સ્થળોએ સિક્યોરીટીમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને પૂરતા પ્રમાણમાં સ્ટાફની દુવિધાઓ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ રાજ્યના તમામ અધિકારીઓની રજા પાછી ખેંચી સ્ટેન્ડબાય રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

