ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેન બળવો કરવાના મૂડમાં છે. તે રાંચીથી દિલ્હી જવા માટે રવાના થયા છે. દિલ્હીમાં ચંપાઇ સોરેન ભાજપના ટોચના નેતાઓને મળી શકે છે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM)માંથી રાજીનામું આપી ચંપાઇ સોરેન ભાજપમાં સામેલ થઇ શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે જ્યારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ધરપકડ પહેલા રાજીનામું આપ્યું તો ચંપાઇ સોરેનને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ ફરીથી હેમંત સોરેન મુખ્યમંત્રી બન્યા હતા.

