સંઘ પ્રમુખ મોહન ભાગવતે જનસંખ્યામાં ઘટાડાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. મોહન ભાગવતે કહ્યું કે જનસંખ્યામાં ઘટાડો ચિંતાનો વિષય છે. જનસંખ્યામાં વૃદ્ધિ દર 2.1 હોવો જોઇએ. વૃદ્ધિદર તેના કરતા ઓછો હોય તો આ સમાજ માટે મોટો ખતરો છે. મોહન ભાગવતે કહ્યું કે જનસંખ્યા વૃદ્ધિ દરમાં ઘટાડો સમાજ માટે યોગ્ય નથી. સંઘ પ્રમુખે કહ્યું કે 2-3 બાળકો હોવા જોઇએ અને આ જરૂરી છે કારણ કે સમાજે જીવિત રહેવું જોઇએ.

