પંજાબના ખેડૂત સંગઠનો પોતાની માંગણીઓને લઈને ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર બેઠા છે. હરિયાણા તેમને આગળ વધવા દેતું નથી. 6 ડિસેમ્બરે પણ ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ટીયર ગેસના શેલ છોડતા ખેડૂતોને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. આજે ફરી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધશે.

