પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યા છે. 50થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. બીજીતરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ બાઈક પર બેસી ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રાહત કાર્યની સમીક્ષા કરી હતી.

