જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ દેશભરમાં લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. હવે ભારતે સ્પષ્ટ કરી દીધુ છે કે તે દરેક મોરચા પર જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. આ રણનીતિ હેઠળ ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું.

