ભારતીય રેલવેમાં નોકરી મેળવવા ઈચ્છતા લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. રેલવે મંત્રાલયે વર્ષ 2025-2026માં 50,000થી વધુ ભરતી કરવાની યોજના બનાવી છે. મંત્રાલયે સત્તાવાર કહ્યું છે કે, ‘રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા નવેમ્બર-2024થી અત્યાર સુધીમાં 55,197 ખાલી જગ્યા ભરવા માટે વિવિધ સાત નોટિફિકેશન જારી કરવામાં આવ્યા છે, જેમાં 1.86 કરોડથી વધુ ઉમેદવારોની અરજીઓ આવ્યા બાદ કોમ્પ્યુટર આધારીત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.’

