પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની ટીમો IPL 2025ની પહેલી ક્વોલિફાયર મેચ રમવા જઈ રહી છે. PBKSની ટીમે પોતાની છેલ્લી લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને હરાવીને ક્વોલિફાયર મેચ માટે પોતાનું સ્થાન કન્ફર્મ કર્યું હતું. જ્યારે RCBની ટીમે પણ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે રોમાંચક મેચ જીતીને પહેલી ક્વોલિફાયર મેચમાં જગ્યા મેળવી હતી. બંને ટીમો વચ્ચે આજે (29 મે) ક્વોલિફાયર-1 રમાશે. આજે જે ટીમ જીતશે તેણે ફાઈનલમાં જગ્યા મળશે. જ્યારે હારનારી ટીમને વધુ એક તક મળશે અને તે ક્વોલિફાયર-2માં એલિમીનેટર જીતનારી ટીમ સામે રમશે. પરંતુ જો IPLની પહેલી ક્વોલિફાયર મેચમાં વરસાદ પડે તો શું થશે. ચાલો જાણી શું કહે છે IPLના નિયમો.

